આ વણજન્મેલી વૈદેહીની વેદના તું વિચારી જો.
લોહીથી લથપથ લાગણી વચ્ચે ખુદ તારી તું કલ્પી જો.
પાંચાલીની શક્તિ તારી, મહાભારત જો રચી શકે .
અંબા દુર્ગા કાળીને એક અવસર તો આપી જો .
ગુંગળાતા હિબકતા ડુસકા ,ઉગ્યા પહેલા આથમતા,
ચંદ્ર સરીખી પ્રતિકૃતિને એક વખત અવતારી જો.
કુળદીપકની કેવી ઝંખના જે રૂંધે પાપા પગલીને ,
દંભી સામાજિક મુલ્યોને એક ઠોકર તો મારી જો.
ડૉ. પ્રવીણ સેદાની
No comments:
Post a Comment